પાકિસ્તાને તેના પરમાણુ શસ્ત્રો પર કાતર મૂકવાની, પ્રવર્તમાન પરમાણુ મથકો આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ લાવવાની અને નો ફર્સ્ટ યુઝ કરાર પર સહી કરવાની જરૃર
૧૯૮૩માં વિયેનામાં ઇન્ટનેશનલ એટમિક એનર્જી એજન્સી (આઇએઇએ)ની બેઠક મળી હતી. જેમાં ભારતના પરમાણુ પંચના અધ્યક્ષ ડો. રાજા રમન્નાએ આપણું પ્રતિનિધિત્વ કર્યું હતું. (જેવી રીતે ડો. એ.પી.જે. અબ્દુલ કલામને મિસાઇલ મેન તરીકે આપણે હૃદયમાં બેસાડયા છે એમ ભારત માટે પરમાણું બોમ્બ બનાવનારા ડો. રાજા રમન્નાને પણ ઘરે-ઘરે યાદ કરાય એ જરૃરી છે.) વિયેનામાં જ એક સાંજે પાકિસ્તાન ન્યુક્લિયર કમિશનના પૂર્વ અધ્યક્ષ અહમદ મુનિર ખાનને પાકિસ્તાનના ભૂતપૂર્વ એમ્બેસેડર અબ્દુલ સત્તાર તરફથી કોડેડ મેસેજ મળ્યો. જેનો અર્થ હતો : 'ભારત પાકિસ્તાનના પરમાણું મથક પર હુમલો કરવાનું છે. ' મુનિર ખાને રાજા રમન્નાને ડિનર માટે આમંત્રિત કર્યા.
૧૯૮૩માં વિયેનામાં ઇન્ટનેશનલ એટમિક એનર્જી એજન્સી (આઇએઇએ)ની બેઠક મળી હતી. જેમાં ભારતના પરમાણુ પંચના અધ્યક્ષ ડો. રાજા રમન્નાએ આપણું પ્રતિનિધિત્વ કર્યું હતું. (જેવી રીતે ડો. એ.પી.જે. અબ્દુલ કલામને મિસાઇલ મેન તરીકે આપણે હૃદયમાં બેસાડયા છે એમ ભારત માટે પરમાણું બોમ્બ બનાવનારા ડો. રાજા રમન્નાને પણ ઘરે-ઘરે યાદ કરાય એ જરૃરી છે.) વિયેનામાં જ એક સાંજે પાકિસ્તાન ન્યુક્લિયર કમિશનના પૂર્વ અધ્યક્ષ અહમદ મુનિર ખાનને પાકિસ્તાનના ભૂતપૂર્વ એમ્બેસેડર અબ્દુલ સત્તાર તરફથી કોડેડ મેસેજ મળ્યો. જેનો અર્થ હતો : 'ભારત પાકિસ્તાનના પરમાણું મથક પર હુમલો કરવાનું છે. ' મુનિર ખાને રાજા રમન્નાને ડિનર માટે આમંત્રિત કર્યા.
સૌજન્ય અનુસાર થોડી વાર સુધી મધમીઠી વાતો ચાલી. ત્યાર પછી ખાને સ્પષ્ટ ધમકી ઉચ્ચારી : 'જો ભારત અમારા પરમાણુ મથક પર હુમલો કરશે તો અમે મુંબઇમાં ભાભા એટમિક રીસર્ચ સેન્ટર (બીએઆરસી) પર અટેક કરીશું.'
રમન્નાએ તરત જ એ વખતના વડા પ્રધાન ઇન્દીરા ગાંધીને જાણ કરી હુમલો અટકાવી દીધો. ત્યાર પછી ખાને સીઆઇએને ખબર આપતા અમેરિકાના ગૃહ વિભાગે ભારતને ધમકી આપી હતી : 'જો ભારત પાકિસ્તાનમાં કંઇ કરશે તો અમેરિકા વળતો જવાબ આપશે.'
એ સમયે જો ભારતે પાકિસ્તાનનું પરમાણું મથક ઉડાવી દીધું હોત તો પાકિસ્તાન પાસે અત્યારે જે પરમાણુ શસ્ત્રોનો ખજાનો છે એ ન હોત. આજે ચીનની કૃપાથી પાકિસ્તાન પાસે ૧૨૦થી વધુ પરમાણુ બોમ્બ છે, જે ભારત કરતા પણ વધારે છે. પાકિસ્તાનનો શસ્ત્રાગાર એ પરોક્ષ રીતે ચીનનો જ શસ્ત્ર ભંડાર કહેવાય છે.
૧૯૭૧ના યુદ્ધ વખતે અમેરિકા ભારત પર હુમલો કરવા માટે નૌસેના મોકલવાનું હતું. એ સમયે રશિયાના પ્રમુખ લિયોનીડ બ્રેઝનેવે નૌકા કાફલો સ્ટેન્ડ ટુ રાખતા નિક્સનની મનની મનમાં રહી ગઈ હતી. દુનિયામાં કશું જ કાયમ નથી. ત્યારે ભારત રશિયા તરફી હતું અને પાકિસ્તાન અમેરિકાની છાવણીમાં હતું. આજે સમીકરણો બદલાઇ ગયા છે. છેલ્લા ચાર વર્ષમાં વૈશ્વિક ચોકઠામાં ધરખમ ફેરફાર આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં રશિયાનો ફરીથી ઉદય થતા વળી પાછા બે ધુ્રવો રચાઇ રહ્યા છે. ૨૦૧૧માં પાકિસ્તાનની જાણ બહાર અમેરિકાના નેવી સીલ કમાન્ડોએ ઓપરેશન 'નેપ્ચ્યુન સ્પીઅર' હાથ ધરી ઓસામા બીન લાદેનને હણી નાખ્યો એવે ટાણે પાક-યુએસના સંબંધો ઓલ ટાઇમ લો જતા રહ્યા હતા. નેવી સીલ કમાન્ડોનું આગમન પાકિસ્તાની સૈન્યના રડારમાં ઝીલાય નહીં તે માટે તેમણે સ્ટીલ્થ હેલિકોપ્ટર 'બ્લેક હોક'નો ઉપયોગ કર્યો હતો.
રમન્નાએ તરત જ એ વખતના વડા પ્રધાન ઇન્દીરા ગાંધીને જાણ કરી હુમલો અટકાવી દીધો. ત્યાર પછી ખાને સીઆઇએને ખબર આપતા અમેરિકાના ગૃહ વિભાગે ભારતને ધમકી આપી હતી : 'જો ભારત પાકિસ્તાનમાં કંઇ કરશે તો અમેરિકા વળતો જવાબ આપશે.'
એ સમયે જો ભારતે પાકિસ્તાનનું પરમાણું મથક ઉડાવી દીધું હોત તો પાકિસ્તાન પાસે અત્યારે જે પરમાણુ શસ્ત્રોનો ખજાનો છે એ ન હોત. આજે ચીનની કૃપાથી પાકિસ્તાન પાસે ૧૨૦થી વધુ પરમાણુ બોમ્બ છે, જે ભારત કરતા પણ વધારે છે. પાકિસ્તાનનો શસ્ત્રાગાર એ પરોક્ષ રીતે ચીનનો જ શસ્ત્ર ભંડાર કહેવાય છે.
૧૯૭૧ના યુદ્ધ વખતે અમેરિકા ભારત પર હુમલો કરવા માટે નૌસેના મોકલવાનું હતું. એ સમયે રશિયાના પ્રમુખ લિયોનીડ બ્રેઝનેવે નૌકા કાફલો સ્ટેન્ડ ટુ રાખતા નિક્સનની મનની મનમાં રહી ગઈ હતી. દુનિયામાં કશું જ કાયમ નથી. ત્યારે ભારત રશિયા તરફી હતું અને પાકિસ્તાન અમેરિકાની છાવણીમાં હતું. આજે સમીકરણો બદલાઇ ગયા છે. છેલ્લા ચાર વર્ષમાં વૈશ્વિક ચોકઠામાં ધરખમ ફેરફાર આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં રશિયાનો ફરીથી ઉદય થતા વળી પાછા બે ધુ્રવો રચાઇ રહ્યા છે. ૨૦૧૧માં પાકિસ્તાનની જાણ બહાર અમેરિકાના નેવી સીલ કમાન્ડોએ ઓપરેશન 'નેપ્ચ્યુન સ્પીઅર' હાથ ધરી ઓસામા બીન લાદેનને હણી નાખ્યો એવે ટાણે પાક-યુએસના સંબંધો ઓલ ટાઇમ લો જતા રહ્યા હતા. નેવી સીલ કમાન્ડોનું આગમન પાકિસ્તાની સૈન્યના રડારમાં ઝીલાય નહીં તે માટે તેમણે સ્ટીલ્થ હેલિકોપ્ટર 'બ્લેક હોક'નો ઉપયોગ કર્યો હતો.
આ હેલિકોપ્ટરમાંથી ઉતર્યા બાદ તેમણે તેને ત્યાં જ તોડી પાડયું હતું. પાકિસ્તાને એ હેલિકોપ્ટરનો કાટમાળ અભ્યાસ માટે ચીનને આપ્યો તે એક આંતરરાષ્ટ્રીય રાજદ્વારી વળાંક હતો.
અમેરિકાએ આતંકીઓ પર કરેલા એક હવાઇ હુમલામાં પાકિસ્તાનના ૨૪ સૈનિકો મરી જતા બંને દેશોના સંબંધો વધુ ખરાબ થયા હતા. અમેરિકાએ પાકિસ્તાનનો સલાલા એરબેઝ ખાલી કરવો પડયો હતો અને પાકિસ્તાને નાટોને અફઘાનિસ્તાન માલ-સામાન પહોંચાડવા માટેનો એક માત્ર રસ્તો બંધ કરી દીધો હતો. ઘણા સમય બાદ તત્કાલીન વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટને માફી માગ્યા પછી ઠેઠ પાકિસ્તાને એ માર્ગ ફરીથી મોકળો કર્યો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો શાંતિ વાર્તાલાપ પણ એમ જ લંગડાતો-ખોડંગાતો રહ્યો છે. ૨૦૦૮ પછી બંને રાષ્ટ્રો વચ્ચે અવિશ્વાસનો ટેકરો હિમાલયથી પણ ઊંચા પર્વતમાં ફેરવાઇ ગયો છે. આ લેખ લખાઇ રહ્યો છે ત્યારે નવાઝ શરીફ અમેરિકા યાત્રા પર જવા માટે બેગ પેકિંગ કરી રહ્યા હશે અને છપાશે ત્યારે પરત પણ આવી ગયા હશે. 'વોશિંગ્ટન પોસ્ટ'ઔમાં ડેવિડ ઇન્ગેટ્સ નામના કોલમિસ્ટે લખ્યું હતું કે અમેરિકા પાકિસ્તાન સાથે ભારત જેવો જ પરમાણું કરાર કરી શકે છે. અહેવાલ પ્રકાશિત થયા પછી ભારત અને વિશ્વ મિડિયામાં ઘણા પડઘા પડયા, મત-મતાંતર થયા અને ચર્ચાઓ ચાલી, વિરોધ થયો. આખરે વાઇટ હાઉસે ચોખવટ પાડી કે તે પાકિસ્તાન સાથે નાગરિક પરમાણું કરાર કરવાનું નથી.
બે રાજ્યના વડા વચ્ચેની વાતચીતનું ગ્રાઉન્ડ વધુ મજબૂત અને મુદ્દાસર બને એ માટે કેટલીક વખત જાણી જોઇને મિડિયામાં કેટલાક અસંગત ન્યૂઝ રાજસત્તા દ્વારા જ ફેલાવવામાં આવતા હોય છે. વોશિંગ્ટન પોસ્ટમાં પ્રકટ થયેલો રીપોર્ટ પણ આવો જ કોઇક પ્રયત્ન હોય એવું લાગ્યું.
અત્યારે વિશ્વ જે રીતે વહેચાયેલું છે એ જોતા અમેરિકા માટે ભારતનું ભૌગોલિક રાજકીય મહત્ત્વ ઘણું ઝાઝું છે. આથી અમેરિકા પાકિસ્તાનને પરમાણુ ક્ષેત્રે મજબૂતી બક્ષે એ વાતમાં દમ નથી. થોડા દિવસો પહેલા જ મલબારના અખાતમાં ભારત-પાકિસ્તાન-જપાન વચ્ચે સંયુક્ત નૌસેના કવાયત હાથ ધરવામાં આવી હતી. ચીનને દેખાડવા માટે જ તો...
પાકિસ્તાનના પરમાણું કાર્યક્રમ પર અંકુશ મૂકવામાં આવે એ ખુબ જ આવશ્યક છે. પાકિસ્તાન તાલિબાન છાશવારે હુમલા કરતા રહે છે અને અફઘાન તાલિબાન તો પોતાનું ઘર સમજીને જ આવરો-જાવરો રાખે છે. એવામાં જો પરમાણુ શસ્ત્રો અથવા નાના-મોટા કોઇપણ અસ્ત્રો-શસ્ત્રો - હથિયારો આતંકીઓના હાથમાં જતા રહે તો ભારત સહિત અનેક દેશો માટે ભયસૂચક બની શકે છે.
પાકિસ્તાનના વિજ્ઞાની એ. ક્યુ. ખાન લિબિયા, ઉત્તર કોરિયા અને ઇરાનને પરમાણુ હથિયારો વિકસાવવા માટેના સાધનો કાળા બજારમાં વેચતા હતા. આ પ્રકારના ખુફિયા કારનામા પરમાણુ શસ્ત્રોની બાબતમાં પાકિસ્તાનમાં ચાલે એ હવે કોઇ હિસાબે પોસાઇ શકે નહીં. પાકને પરમાણુ પરીક્ષણ કરતું અટકાવવા અમેરિકા શરીફ પાસે સીટીબીટી (કોમ્પ્રિહેન્સીવ ટેસ્ટ બીન ટ્રીટ) અને યુરેનિયમ જેવા તત્ત્વોનું સ્ટોરેજ ઘટાડવા ફિસાઇલ મટીરીયલ કટ ઓફ ટ્રીટી( એફએમસીટી) પર સહી લેવડાવે જરૃરી છે. નો ફર્સ્ટ યુઝ ટ્રીટી પર પણ...
ભારતે અમેરિકા સાથે કરેલા પરમાણુ કરાર અંતર્ગત ભારતે તેના નાગરિક પરમાણુ મથકો અને લશ્કરી પરમાણુ કેન્દ્રો છુટાં પાડયાં છે. અને સિવિલ ન્યુક્લિઅર ફેસિલિટિઝ આંતરરાષ્ટ્રીય નિરીક્ષણ હેઠળ છે. શું પાકિસ્તાન આવી શરતો માટે તૈયાર થઇ શકે ખરા ? કરાચીમાં ચીન ૯.૬ અબજ ડોલર (અંદાજે રૃ. ૬૦૦ અબજ)ના ખર્ચે પરમાણુ શક્તિ સંકુલ (ન્યુક્લિઅર પાવર કોમ્પ્લેક્સ) બનાવી રહ્યું છે. નવાઝ શરીફ પોતે તેના શિલાન્યાસમાં હાજર રહ્યા હતા. આ મુદ્દો ધ્યાનબારો કઇ રીતે રહે...?
મોદીના વાદે વાદે નવાઝ શરીફે પણ વિકાસનું મહોરું પહેર્યું છે એ પાકિસ્તાનનો અસલ ચહેરો બને એમ ભારત પણ ઇચ્છે છે. પરંતુ અત્યારે તો પાકિસ્તાનનો ખરો ચહેરો લશ્કરી વડા રાહીલ શરીફ છે. જેઓ પરમાણુ શસ્ત્રાગાર પર કાતર ફેરવવાની કે તેને આંતરરાષ્ટ્રીય નજર તળે મૂકવાની શરાફત દેખાડી શકે એમ નથી.
વૈશ્વિક હાઇલાઇટ્સ...
- એબિગલી વિલ્સન અને ડેવિડ જેકીન્સ નામનું દંપતી તેના ત્રણ વર્ષના બાળક જેકબ જેકિન્સ સાથે પીઝા પાર્લરમાં જમવા ગયું હતું. તેઓ ડીનર કરી રહ્યા હતા ત્યારે પીઝામાં રહેલી દ્રાક્ષ બાળકની શ્વાસ નળીમાં ફસાઇ જતા શ્વાસ રૃંધાવાને લીધે તે કોમામાં સરી ગયું અને થોડા કલાકો પછી મૃત્યુ પામ્યું હતું. આ ઘટના વિશે જાણ થયા બાદ સોશિયલ મિડિયા પર અપીલ કરાતા હજારો લોકોએ સાંજે સાત વાગ્યે પીળા રંગના હજારો ફુગ્ગા આકાશમાં વહેતા મૂકી શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી.
- વેનેઝુએલાના જેસન રોડ્રીગ્વીઝે જગતના સૌથી મોટા પંજા ધરાવવા બદલ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું છે. આને ખરેખર વિરાટ પગલું કહી શકાય. આ યુવાનના પેગડામાં પગ નાખવાનું અસંભવ છે. ૭ ફુટ ૩ ઇંચના રોડ્રીગના જમણા પગના પંજાની લંબાઇ ૪૦.૧ સેમી એટલે કે ૧ ફુટ અને ૩.૭ ઇંચ છે. ડાબા પગના તળિયાની લંબાઇ ૩૭.૬ સેમી એટલે કે એક ફુટ ૩૯.૬ સેમી એલે કે ૧ ફુટ ૩.૫૯ ઇંચ છે. તેને ૩૨ નંબરના બૂટ પહેરવા પડે છે.
- પશ્ચિમના કેટલાક અલ્પમતિ ધનાઢ્યો આજે પણ નિર્દોષ પ્રાણીઓના શિકારનો રજવાડી અને તામસિક શોખ ધરાવે છે. થોડા સમય પહેલા અમેરિકાના એક ડેન્ટીસ્ટે ઝિમ્બાબ્વેમાં સેસિલ નામના સાવજનો શિકાર કરતા આખા વિશ્વમાં હોબાળો મચ્યો હતો. આ ઘટના હજી તાજી જ છે ત્યાં આફ્રિકાના સૌથી મોટા હાથીનો શિકાર થયો છે. જર્મનીના એક પ્રવાસીએ ૬૦,૦૦૦ ડોલર રૃ. ૪૦ લાખ ચૂકવીને કદાવર હાથીનો શિકાર કર્યો છે. જો કે અગાઉની જેમ આ વખતે પણ હત્યારો બહુ જ સરળતાથી બચી નીકળ્યો છે. આ હાથીના દાંત એટલા મોટા હતા કે તે જમીન પર ઘસાતા હતા. તેના દંતનુ વજન ૬૦ કિલો હતું.
- અમેરિકામાં થોમસ ડી પેન્ટ્રીલો નામના યુવાને છેલ્લા બે વર્ષમાં ૧૬૦૦ કલાકની મહેનત કરીને કાલ્પનિક પાત્ર હલ્કનુ કોસ્ચ્યુમ તૈયાર કર્યું છે. આ કોસ્ચ્યુમની ઊંચાઇ ૯.૫ ફુટ અને પહોળાઇ ૬.૬ ફુટ છે. તે ૪૪ યાને કે સાડા ત્રણ ફુટ જાડું છે અને તેનું વજન ૪૫ કિલો છે. તે પહેરવામાં જ ૨૦ મિનિટ જેટલો સમય લાગે છે. થોમસ છેલ્લા ૨૧ વર્ષથી કોસ્ચ્યુમ્સ બનાવવાનુ કામ કરે છે.
અમેરિકાએ આતંકીઓ પર કરેલા એક હવાઇ હુમલામાં પાકિસ્તાનના ૨૪ સૈનિકો મરી જતા બંને દેશોના સંબંધો વધુ ખરાબ થયા હતા. અમેરિકાએ પાકિસ્તાનનો સલાલા એરબેઝ ખાલી કરવો પડયો હતો અને પાકિસ્તાને નાટોને અફઘાનિસ્તાન માલ-સામાન પહોંચાડવા માટેનો એક માત્ર રસ્તો બંધ કરી દીધો હતો. ઘણા સમય બાદ તત્કાલીન વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટને માફી માગ્યા પછી ઠેઠ પાકિસ્તાને એ માર્ગ ફરીથી મોકળો કર્યો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો શાંતિ વાર્તાલાપ પણ એમ જ લંગડાતો-ખોડંગાતો રહ્યો છે. ૨૦૦૮ પછી બંને રાષ્ટ્રો વચ્ચે અવિશ્વાસનો ટેકરો હિમાલયથી પણ ઊંચા પર્વતમાં ફેરવાઇ ગયો છે. આ લેખ લખાઇ રહ્યો છે ત્યારે નવાઝ શરીફ અમેરિકા યાત્રા પર જવા માટે બેગ પેકિંગ કરી રહ્યા હશે અને છપાશે ત્યારે પરત પણ આવી ગયા હશે. 'વોશિંગ્ટન પોસ્ટ'ઔમાં ડેવિડ ઇન્ગેટ્સ નામના કોલમિસ્ટે લખ્યું હતું કે અમેરિકા પાકિસ્તાન સાથે ભારત જેવો જ પરમાણું કરાર કરી શકે છે. અહેવાલ પ્રકાશિત થયા પછી ભારત અને વિશ્વ મિડિયામાં ઘણા પડઘા પડયા, મત-મતાંતર થયા અને ચર્ચાઓ ચાલી, વિરોધ થયો. આખરે વાઇટ હાઉસે ચોખવટ પાડી કે તે પાકિસ્તાન સાથે નાગરિક પરમાણું કરાર કરવાનું નથી.
બે રાજ્યના વડા વચ્ચેની વાતચીતનું ગ્રાઉન્ડ વધુ મજબૂત અને મુદ્દાસર બને એ માટે કેટલીક વખત જાણી જોઇને મિડિયામાં કેટલાક અસંગત ન્યૂઝ રાજસત્તા દ્વારા જ ફેલાવવામાં આવતા હોય છે. વોશિંગ્ટન પોસ્ટમાં પ્રકટ થયેલો રીપોર્ટ પણ આવો જ કોઇક પ્રયત્ન હોય એવું લાગ્યું.
અત્યારે વિશ્વ જે રીતે વહેચાયેલું છે એ જોતા અમેરિકા માટે ભારતનું ભૌગોલિક રાજકીય મહત્ત્વ ઘણું ઝાઝું છે. આથી અમેરિકા પાકિસ્તાનને પરમાણુ ક્ષેત્રે મજબૂતી બક્ષે એ વાતમાં દમ નથી. થોડા દિવસો પહેલા જ મલબારના અખાતમાં ભારત-પાકિસ્તાન-જપાન વચ્ચે સંયુક્ત નૌસેના કવાયત હાથ ધરવામાં આવી હતી. ચીનને દેખાડવા માટે જ તો...
પાકિસ્તાનના પરમાણું કાર્યક્રમ પર અંકુશ મૂકવામાં આવે એ ખુબ જ આવશ્યક છે. પાકિસ્તાન તાલિબાન છાશવારે હુમલા કરતા રહે છે અને અફઘાન તાલિબાન તો પોતાનું ઘર સમજીને જ આવરો-જાવરો રાખે છે. એવામાં જો પરમાણુ શસ્ત્રો અથવા નાના-મોટા કોઇપણ અસ્ત્રો-શસ્ત્રો - હથિયારો આતંકીઓના હાથમાં જતા રહે તો ભારત સહિત અનેક દેશો માટે ભયસૂચક બની શકે છે.
પાકિસ્તાનના વિજ્ઞાની એ. ક્યુ. ખાન લિબિયા, ઉત્તર કોરિયા અને ઇરાનને પરમાણુ હથિયારો વિકસાવવા માટેના સાધનો કાળા બજારમાં વેચતા હતા. આ પ્રકારના ખુફિયા કારનામા પરમાણુ શસ્ત્રોની બાબતમાં પાકિસ્તાનમાં ચાલે એ હવે કોઇ હિસાબે પોસાઇ શકે નહીં. પાકને પરમાણુ પરીક્ષણ કરતું અટકાવવા અમેરિકા શરીફ પાસે સીટીબીટી (કોમ્પ્રિહેન્સીવ ટેસ્ટ બીન ટ્રીટ) અને યુરેનિયમ જેવા તત્ત્વોનું સ્ટોરેજ ઘટાડવા ફિસાઇલ મટીરીયલ કટ ઓફ ટ્રીટી( એફએમસીટી) પર સહી લેવડાવે જરૃરી છે. નો ફર્સ્ટ યુઝ ટ્રીટી પર પણ...
ભારતે અમેરિકા સાથે કરેલા પરમાણુ કરાર અંતર્ગત ભારતે તેના નાગરિક પરમાણુ મથકો અને લશ્કરી પરમાણુ કેન્દ્રો છુટાં પાડયાં છે. અને સિવિલ ન્યુક્લિઅર ફેસિલિટિઝ આંતરરાષ્ટ્રીય નિરીક્ષણ હેઠળ છે. શું પાકિસ્તાન આવી શરતો માટે તૈયાર થઇ શકે ખરા ? કરાચીમાં ચીન ૯.૬ અબજ ડોલર (અંદાજે રૃ. ૬૦૦ અબજ)ના ખર્ચે પરમાણુ શક્તિ સંકુલ (ન્યુક્લિઅર પાવર કોમ્પ્લેક્સ) બનાવી રહ્યું છે. નવાઝ શરીફ પોતે તેના શિલાન્યાસમાં હાજર રહ્યા હતા. આ મુદ્દો ધ્યાનબારો કઇ રીતે રહે...?
મોદીના વાદે વાદે નવાઝ શરીફે પણ વિકાસનું મહોરું પહેર્યું છે એ પાકિસ્તાનનો અસલ ચહેરો બને એમ ભારત પણ ઇચ્છે છે. પરંતુ અત્યારે તો પાકિસ્તાનનો ખરો ચહેરો લશ્કરી વડા રાહીલ શરીફ છે. જેઓ પરમાણુ શસ્ત્રાગાર પર કાતર ફેરવવાની કે તેને આંતરરાષ્ટ્રીય નજર તળે મૂકવાની શરાફત દેખાડી શકે એમ નથી.
વૈશ્વિક હાઇલાઇટ્સ...
- એબિગલી વિલ્સન અને ડેવિડ જેકીન્સ નામનું દંપતી તેના ત્રણ વર્ષના બાળક જેકબ જેકિન્સ સાથે પીઝા પાર્લરમાં જમવા ગયું હતું. તેઓ ડીનર કરી રહ્યા હતા ત્યારે પીઝામાં રહેલી દ્રાક્ષ બાળકની શ્વાસ નળીમાં ફસાઇ જતા શ્વાસ રૃંધાવાને લીધે તે કોમામાં સરી ગયું અને થોડા કલાકો પછી મૃત્યુ પામ્યું હતું. આ ઘટના વિશે જાણ થયા બાદ સોશિયલ મિડિયા પર અપીલ કરાતા હજારો લોકોએ સાંજે સાત વાગ્યે પીળા રંગના હજારો ફુગ્ગા આકાશમાં વહેતા મૂકી શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી.
- વેનેઝુએલાના જેસન રોડ્રીગ્વીઝે જગતના સૌથી મોટા પંજા ધરાવવા બદલ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું છે. આને ખરેખર વિરાટ પગલું કહી શકાય. આ યુવાનના પેગડામાં પગ નાખવાનું અસંભવ છે. ૭ ફુટ ૩ ઇંચના રોડ્રીગના જમણા પગના પંજાની લંબાઇ ૪૦.૧ સેમી એટલે કે ૧ ફુટ અને ૩.૭ ઇંચ છે. ડાબા પગના તળિયાની લંબાઇ ૩૭.૬ સેમી એટલે કે એક ફુટ ૩૯.૬ સેમી એલે કે ૧ ફુટ ૩.૫૯ ઇંચ છે. તેને ૩૨ નંબરના બૂટ પહેરવા પડે છે.
- પશ્ચિમના કેટલાક અલ્પમતિ ધનાઢ્યો આજે પણ નિર્દોષ પ્રાણીઓના શિકારનો રજવાડી અને તામસિક શોખ ધરાવે છે. થોડા સમય પહેલા અમેરિકાના એક ડેન્ટીસ્ટે ઝિમ્બાબ્વેમાં સેસિલ નામના સાવજનો શિકાર કરતા આખા વિશ્વમાં હોબાળો મચ્યો હતો. આ ઘટના હજી તાજી જ છે ત્યાં આફ્રિકાના સૌથી મોટા હાથીનો શિકાર થયો છે. જર્મનીના એક પ્રવાસીએ ૬૦,૦૦૦ ડોલર રૃ. ૪૦ લાખ ચૂકવીને કદાવર હાથીનો શિકાર કર્યો છે. જો કે અગાઉની જેમ આ વખતે પણ હત્યારો બહુ જ સરળતાથી બચી નીકળ્યો છે. આ હાથીના દાંત એટલા મોટા હતા કે તે જમીન પર ઘસાતા હતા. તેના દંતનુ વજન ૬૦ કિલો હતું.
- અમેરિકામાં થોમસ ડી પેન્ટ્રીલો નામના યુવાને છેલ્લા બે વર્ષમાં ૧૬૦૦ કલાકની મહેનત કરીને કાલ્પનિક પાત્ર હલ્કનુ કોસ્ચ્યુમ તૈયાર કર્યું છે. આ કોસ્ચ્યુમની ઊંચાઇ ૯.૫ ફુટ અને પહોળાઇ ૬.૬ ફુટ છે. તે ૪૪ યાને કે સાડા ત્રણ ફુટ જાડું છે અને તેનું વજન ૪૫ કિલો છે. તે પહેરવામાં જ ૨૦ મિનિટ જેટલો સમય લાગે છે. થોમસ છેલ્લા ૨૧ વર્ષથી કોસ્ચ્યુમ્સ બનાવવાનુ કામ કરે છે.